• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • ૧૦ વર્ષમાં કરદાતાની સંખ્‍યા થઈ બમણી : ૧૮૨ ટકા વધ્‍યું ડાયરેક્‍ટ ટેક્‍સ કલેકશન

૧૦ વર્ષમાં કરદાતાની સંખ્‍યા થઈ બમણી : ૧૮૨ ટકા વધ્‍યું ડાયરેક્‍ટ ટેક્‍સ કલેકશન

10:37 AM October 18, 2024 Admin Share on WhatsApp

નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માટે કુલ ૩,૭૯,૭૪,૯૬૬ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્‍યા હતા, જેની સંખ્‍યા ૨૦૨૩-૨૪માં વધીને ૮,૬૧,૩૨,૭૭૯ થઈ ગઈ છે : ૧૦ વર્ષમાં ITR ફાઈલ કરનારામાં ૧૩૨%નો વધારોઃ મોદી સરકાર નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં સત્તામાં આવી ત્‍યારે ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન રૂ. ૬,૯૫,૭૯૨ કરોડ (લગભગ રૂ. ૬.૯૬ લાખ કરોડ) હતું, જે વધીને રૂ. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં તે વધીને રૂ. ૧૯,૬૦,૧૬૬ કરોડ (રૂ. ૧૯.૬૦ લાખ કરોડ) થયું છે



Taxpayer In India Increse : દેશમાં કરદાતાઓની સંખ્‍યામાં મોટો વધારો થયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ઈન્‍કમટેક્‍સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્‍યામાં બમણો વધારો જોવા મળ્‍યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ માટે કુલ ૩,૭૯,૭૪,૯૬૬ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્‍યા હતા, જેની સંખ્‍યા ૨૦૨૩-૨૪માં વધીને ૮,૬૧,૩૨,૭૭૯ થઈ ગઈ છે. એટલે કે, મોદી સરકારના છેલ્લા ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્‍યામાં ૪,૮૧,૫૭,૮૧૩ નો વધારો થયો છે. ૧૦ વર્ષમાં IT રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્‍યામાં ૧૨૭ ટકાનો વધારો થયો છે.

► ૨૦૨૩-૨૪માં 8.13 કરોડ લોકોએ રીટર્ન ફાઈલ કર્યુંં

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સિસએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે સમય-શ્રેણીના ડેટા જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ૩,૫૦,૪૩,૧૨૬ વ્‍યક્‍તિગત કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું હતું, જેની સંખ્‍યા ૨૦૨૩-૨૪માં વધીને ૮,૧૩,૯૦,૭૩૬ થઈ ગઈ છે. છેલ્લા ૧૦ વર્ષમાં IT રિટર્ન ફાઈલ કરનાર વ્‍યક્‍તિ કેટેગરીના કરદાતાઓની સંખ્‍યામાં ૪,૬૩,૪૭,૬૧૦ નો વધારો થયો છે. એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં આવકવેરા રિટર્ન ભરનારા લોકોની સંખ્‍યામાં ૧૩૨ ટકાનો વધારો થયો છે.

► કરદાતાઓની સંખ્યા ૨૦૨૩-૨૪માં ૧૦.૪૧ કરોડ થઈ

આવકવેરા વિભાગના જણાવ્‍યા અનુસાર, આકારણી વર્ષ ૨૦૧૩-૧૪માં PAN કાર્ડ ધરાવતા તમામ કરદાતાઓની સંખ્‍યા ૫,૨૬,૪૪,૪૯૬ હતી, જે ૨૦૨૩-૨૪માં વધીને ૧૦,૪૧,૧૩,૮૪૭ થઈ ગઈ છે. આમાં, આકારણી વર્ષ ૨૦૧૩-૧૪માં વ્‍યક્‍તિગત કરદાતાઓની કુલ સંખ્‍યા ૪,૯૫,૭૬,૫૫૫ હતી, જે વર્ષ ૨૦૨૩-૨૪માં વધીને ૯,૯૧,૭૫,૬૫૬ થઈ ગઈ છે. તેનો અર્થ એ છે કે ૧૦ વર્ષ દરમિયાન વ્‍યક્‍તિગત કરદાતાઓની સંખ્‍યામાં ૧૦૦ ટકા એટલે કે બમણો વધારો થયો છે.

► 2023-24માં ડાયરેક્ટ ટેક્સ ક્લેક્શન રૂ. ૧૯.૬૦ લાખ કરોડ થયું

સીબીડીટીના ડેટા અનુસાર, જયારે મોદી સરકાર નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં સત્તામાં આવી ત્‍યારે ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન રૂ. ૬,૯૫,૭૯૨ કરોડ (લગભગ રૂ. ૬.૯૬ લાખ કરોડ) હતું, જે વધીને રૂ. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં તે વધીને રૂ. ૧૯,૬૦,૧૬૬ કરોડ (રૂ. ૧૯.૬૦ લાખ કરોડ) થયું છે. એટલે કે, મોદી સરકારના ૧૦ વર્ષના કાર્યકાળ દરમિયાન, પ્રત્‍યક્ષ કર કલેક્‍શન જેમાં આવકવેરા, કોર્પોરેટ ટેક્‍સ અને સિક્‍યોરિટીઝ ટ્રાન્‍ઝેક્‍શન ટેક્‍સનો સમાવેશ થાય છે તે ૧૨,૬૪,૩૭૪ કરોડ રૂપિયા (લગભગ ૧૨.૬૪ લાખ કરોડ રૂપિયા) એટલે કે ૧૮૨ ટકાનો ઉછાળો આવ્‍યો છે. નાણાકીય વર્ષ ૨૦૦૪-૨૫માં ડાયરેક્‍ટ ટેક્‍સ કલેક્‍શન ૧.૩૨ લાખ કરોડ રૂપિયા હતું. સીબીડીટીએ તેના ટાઈમ સીરીઝ ડેટામાં જણાવ્‍યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં કુલ કર આવકમાં પ્રત્‍યક્ષ કરનો હિસ્‍સો ૫૬.૩૨ ટકા હતો, જે ૨૦૨૩-૨૪માં ૫૬.૭૨ ટકા થશે. નાણાકીય વર્ષ ૨૦૦૩-૦૪માં કુલ કર આવકમાં ડાયરેક્‍ટ ટેક્‍સનો હિસ્‍સો ૪૧.૪૨ ટકા હતો.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - number of taxpayers has doubled in 10 years-Direct-tax-collection has increased by 182 percent , number of tax payers has doubled in 10 years-Direct-tax-collection has increased by 182 percent



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us